તારીખ 23/7/2023 રવિવાર ના સાંજે 6:30 કલાકે શ્રી રામદેવપીર મંદિર ,ચૈતન્ય સ્વરૂપ આશ્રમ, રામેશ્વર ખાતે રાખવામાં આવેલ છે. આ મિટિંગમાં મંડળના સર્વે સામાન્ય સભ્યોએ હાજરી આપવા અને રાત્રી ભોજન સાથે લેવાનું હાર્દિક આમંત્રણ છે.
મીટીંગ શરૂ કર્યા પહેલા મંડળની જે જગ્યા આશ્રમના પાછળના ભાગમાં આવેલી છે ત્યાં વૃક્ષારોપણ કરવાનું હોય સર્વે સભ્યોએ ખાસ હાજરી આપવાની છે
મુખ્ય એજન્ડા
1 – આવકાર સ્વાગત
2 – ગત મિનિટ્સ બુકનું વાંચન અને બહાલી
3- આવેલ પત્રોનું વાંચન
4 – વાર્ષિક હિસાબોની રજૂઆત અને બહાલી
5 – મંડળને લગતા અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા અને ખુલ્લો મંચ
આપણું મનુષ્ય જીવન જે પ્રકૃતિ માતા ના ખોળા માં પ્રાણ વાયુ,જળ,અન્ન, ઔષધિઓ,થી પોષણ મેળવી ને તથા સૂર્ય, ચંદ્ર વગેરે નક્ષત્ર અને ગ્રહોના ઉપકાર થી ચાલી રહ્યું છે. જે પંચમહાભૂત અને જડ દેવતાઓ આપણા જીવન નો મુખ્ય આધાર છે. આવા પ્રકૃતિ માતા ના અનેક ઋણ આપણા પર ચડેલા છે.તેમનું જતન , સંવર્ધન અને સંરક્ષણ આપણું નૈતિક કર્તવ્ય છે.તેના પાલન થી જ એ ઋણ ઉતારી શકાય. .આપણા જાણવા ન જાણવા થી એ માં થી મુક્તિ ન મળે!!!! અને આ કર્તવ્ય નું શ્રેષ્ઠ પ્રકારે પાલન કરવા નું સાધન યજ્ઞ છે
જો આ યજ્ઞ પણ મોટા મહાયજ્ઞ સમાન હોય તો પછી તો વાત જ અનોખી છે
પધારો મંગવાણા મહાયજ્ઞમાં અને યજમાનપદે નિમણૂંક કરી પોતાની પાંચ આંગળીઓ થી યજ્ઞ દેવતા ને આહુતિ આપી આપણે સૌ પોતાનું કર્તવ્ય નિભાવીએ તેમજ પુણ્ય પ્રાપ્ત કરીએ
વિશેષ:- તારીખ ૫ જુલાઈ બપોર બાદ ૪:૦૦ કલાકે સેંકડો કિલો અનેક આયુર્વેદિક ઔષધીઓ ને યજ્ઞ મંડપ માં હવન સામગ્રી સ્વરૂપ આપણી સૌની નજર સમક્ષ તૈયાર કરવામાં આવશે. જેનો લ્હાવો અવશ્ય લેશોજી.
ગત તારીખ 01/07/2023 ના રોજ પાટીદાર ફાર્મ મહુવા મુકામે શ્રી ક.ક.પા.યુ મંડળની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ હસમુખભાઈ પોકાર અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં યુવક મંડળના હોદ્દેદારો,સલાહકારશ્રીઓ અને યુવક સભ્યો હાજર રહ્યા હતા. સૌ પ્રથમ સભાની શરૂઆત *સમુહ પ્રાર્થના,સ્થાન ગ્રહણ અને દિપ પ્રાગટયથી કરવામા આવેલ.
ત્યારબાદ પ્રમુખ હસમુખ ભાઈ એ સભામાં ઉપસ્થિત સર્વે સભ્યોને શબ્દરૂપી પુષ્પો થી સ્વાગત કરેલ.
ત્યારબાદ મહામંત્રી હેમંત ભાઈ માવાણીએ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન વિવિધ સમિતિ દ્વારા થયેલ કાર્યો નો અહેવાલ સમિતિના સભ્યોને સાથે રાખી આપેલ . ત્યારબાદ ખજાનચી મોહનભાઈ રૂદાણી દ્વારા ૩ વર્ષના આવક-જાવકના હિસાબોની રજૂઆત કરવામાં આવી જેને હાજર સભ્યોએ બહાલી આપી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ ની ટર્મ પૂર્ણ થતી હોય અને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટીમની રચના કરવા હેતુ સર્વ સંમતિથી પસંદગી સમિતિની રચના કરવામા આવેલ જેમા મંડળના સલાહકાર તરીકે કાર્યરત પરસોતમભાઈ રૂડાણી. હસમુખ ભાઈ પોકાર. હેમંત ભાઈ માવાણી.
ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી રજુઆત કરતા હસમુખભાઈ પોકારએ સમગ્ર ટર્મ દરમિયાન મળેલ સહયોગ બદલ કારોબારી સભ્યો,સલાહકારશ્રીઓ અને યુવા મિત્રો તેમજ દરેક સમિતિના સભ્યોનો અંતઃકરણ પૂર્વક આભાર માની ધન્યવાદ પાઠવેલ અને પોતાની ટીમનો કાર્યકાળ પૂર્ણ થતો હોય તો જેનુ વિસર્જન કરી આગળની કાર્યવાહી પસંદગી સમિતિને સોંપવામા આવેલ…
ત્યારબાદ આગમી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ માટે નવી કારોબારી ટીમ બનાવવા માટે પસંદગી સમિતિ દ્વારા હાજર સભ્યો માંથી નામ મંગાવવામાં આવેલ હતા.જેમાં નીચે મુજબના સભ્યોને આગામી વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ ની ટર્મ ની સુકાન સોંપવામા આવેલ હતી.
*પરશોતમ ભાઈ રામજીભાઈ રૂડાણી *હસમુખભાઈ કાંતિભાઈ પોકાર *જગદીશ ભાઈ ભાણજીભાઈ માવાણી દ્વારા *ઉપસ્થિત સર્વે સભ્યોએ નવી વરાયેલ કારોબારી ટીમને હષઁભેર વધાવી અને આગામી ટર્મ દરમિયાન સુંદર કાર્ય કરી યુવક મંડળને ગૌરવવંતુ બનાવશો એવી શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવેલ.* અંતમા નવા વરાયેલ મહામંત્રી ભરતભાઈ માવાણી એ આભાર વિધિ કરી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરેલ અને ત્યારબાદ સૌ રાષ્ટ્રગાન કરી ભગવાન લક્ષ્મીનારાયણ તથા માં ઉમિયાનો જયઘોષ કરી છુટા પડેલ.
શ્રી કોટડા(જ.) લક્ષ્મી નારાયણ મંદિર મધ્યે માસિક તિથિ સુદ 13 ને શનિવાર ના સતત 23મું સમુહ પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ પ્રથમ સંઘ્યા આરતી બાદ બહોળી સંખ્યામાં દર્શનાર્થે આવેલ ભાવિકો દ્વારા મંદિર મધ્યે પ્રભુ વંદના તથા ભજન કરવા માં આવેલ ત્યાર બાદ મંદિર ના ઓપન પ્લોટ માં સૌં ભાવિકો દ્વારા સમૂહ પ્રસાદ લેવામાં આવેલ આજના પ્રસાદના દાતા કાંતિલાલ મનજી લીંબાણી પરિવાર હાલે થાણા તરફ થી આપવામાં આવેલ પરસોતમ માસ સુદ 13ના દાતા શ્રી ભાણજી રામજી લીંબાણી નંદેસરી વડોદરા વાળા તરફ઼ થી આપવામાં આવશે “”જય લક્ષ્મી નારાયણ “”
આજ રોજ તારીખ 1/7/2023 શનિવારે આણંદસર ગામ નું તળાવ(આઝાદ સરોવર) ઓગની જતા આણંદસર ગામ ના પ્રથમ નાગરિક સરપંચ શ્રી શાંતિલાલ હરજી ભાવાણી તેમજ ગામ ના વડીલો દરેક સમાજ ના આગેવાનો વાજતેગાજતે વધામણાં કરવા માટે એકત્ર થઈને પહોંચ્યા હતા આ વખતે ગામના વડીલો એટલે સિનિયર સીટીઝન દ્વરા 75 વર્ષ થી ઉપર ના વડીલો એતળાવ ના વધામણાં કરેલ જેમાં આગેવાનો પૂર્વ ઉપ સરપંચ અરજણ ભાઈ, પ્રેમજી નારણ ભાવાણી કાંતિદેવજી,બાબુભાઇ દેવસી નાનાલાલ ભગત ત્રિભુવન દેવજી યુવકમંડલ ના પ્રમુખશ્રી પ્રકાશ ચૌહાણ શાંતિલાલ અરજણ દિનેશ લીમાંણી ઉમેશ ભાવાણી મનીષ મહીલા મંડળ પંચાયત સદસ્ય ભૂદેવ ઉમેશ માંરાજ ના હસ્તે સસ્તોક્ત વિધિ થી વધામણાં કરવા માં આવેલ
લેવા પટેલ હોસ્પિટલ ભુજમાં તારીખ. 24 .6 .2023 ને શનિવારના રોજ મોતીયો, વેલ નો ફ્રી ઓપરેશન નું કેમ્પ છે .જેમાં કોઈપણ વર્ગના લોકો લાભ લઈ શકશે. અને સારી ગુણવત્તા વાળો નેત્રમણી બેસાડી આપવામાં આવશે .નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર 97 238 89297 અને 02832 230 132 પર સંપર્ક કરવો.