શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (બેલગામ) દ્વારા મકરસંક્રાંતિ પર 14/1/2023 અને 15/1/2023 ના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5 ટીમો બેલગામ સમાજની હતી અને 5 ટીમ અન્ય સમાજની હતી, કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. . જેમાં મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનો અને વડીલોએ ભાગ લીધો હતો. જેમાં બેલગામની ‘પાટીદાર બોયઝ’ વિજેતા અને ‘રોયલ સ્ટ્રાઈકર બેલોંગલ’ ટીમ રનર્સ અપ બની હતી.
જય લક્ષ્મી નારાયણ ઉલ્હાસનગર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ ઉલ્હાસનગર નવા વર્ષ નું સ્નેહ મિલન… સરસ્વતી સન્માન… અને સાંસ્કૃતિક કાર્યક્રમો.. તા – 20 / 11 / 2022 ને રવિવારે બપોરે 3; 00 વાગ્યે પાટીદાર ભવન સહાડ મા આયોજન કરવામાં આવ્યો હતો.. સરસ્વતી સન્માન ; શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યા હતા.. સાંસ્કૃતિક કાર્યક્રમો : નાના મોટા સર્વે ભાઈ. બહેનો.. નાના બાળકો એ આપણી હિન્દુ સાંસ્કૃતિક ની અનુસાર એવા 15 કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા…. ત્યાર બાદ વડીલો ના આશીર્વચન… કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ સાંજે મહાપ્રસાદ (સ્વરૂચી) ભોજન લઇ છુટ્ટા પડેલ… .. જય લક્ષ્મી નારાયણ ઉલ્હાસનગર દ્વારા
કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત 12 માં પદવીદાન સમારોહ મા અર્થશાસ્ત્ર ની વિદ્યાશાખા મા સમસ્ત કચ્છ જિલ્લામા પ્રથમ નંબર આવવા બદલ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સુવર્ણ ચંદ્રક(Gold medal)થી માનાણી સ્નેહા હિતેશ ભાઈ મૂળ વિથોણ(હાલે. નખત્રાણા )ના રહેવાસી માનાણી પરિવાર ની દીકરી નુ કચ્છ યુનિવર્સિટી મા સન્માન કરવામાં આવ્યું. જે હાલ ઉપાસના વિદ્યાલય મા શિક્ષિકા તરીકે ની ભૂમિકા ભજવે છે...
વિથોણ-કચ્છ અડદિયા…….અડદિયા….અડદિયા. વિથોણ ના પાટીદાર ભાઇઓ ના આદિત્ય ગ્રુપ દ્વારા નિર્મિત શુધ્ધ સાત્વીક ઓષધીય ગુણોથી સભર શુધ્ધ ઘી ના અડદિયા દર વર્ષની જેમ પ્રથમ રાઉન્ડ ની નોંધણી ચાલુ થઈ છે. *નોંધણી માટે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરો* *ભારત ભર માં ડિલિવરી ઉપલબ્ધ…. * (કુરિયર ચાર્જ અલગથી સ્થળ પ્રમાણે) ॥ જય ખેતાબાપા ॥
શ્રી આ.ભા.ક.ક.પા. યુવાસંઘ – દક્ષિણ ભારત રીજીયન પોતાના યુવાઓ માટે જ્ઞાન, શીલ અને એકતા ના ભરપૂર સંસ્કારો અને સફળ તેમજ પ્રેરણાત્મક જીવન જીવવાની કળા ની સાથે સાથે “વ્યક્તિગત વિકાસ એજ સાચો સામાજીક વિકાસ” ના નારા ની સત્ય હકીકત ને સ્વાધ્યાય અને સિંચન કરાવવા માટે ફરી એક વખત ત્રિચિનાપલ્લી ખાતે તા: 24, 25 અને 26 ડિસેમ્બર 2022 ના રોજ એક ધમાકેદાર અને વાયબ્રન્ટ શિબિર “હોસલો કી ઉંડાણ – 2022” નું ભવ્ય આયોજન કર્યું છે.
સ્થળ: શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ પાલપન્નૈ રોડ, ત્રિચિનાપલ્લી.
શ્રી અખિલ ભારતીય કરછ કડવા પાટીદાર કરછ રિજીયન દ્ગરા આયોજિત સ્વર્ણિમ મહોત્સવ અંતર્ગત કબડ્ડી ટુર્નામેન્ટ પ્રગતિ ચેમ્પિયન ટ્રોફી પધારો વિથોણ ચાલો વિથોણ આ વખતે આપણી દરેક સમાજો માણશે દિવાળી વેકેશન માં કબડ્ડી ટુર્નામેન્ટ, સંતસુરા ની પવિત્ર ભૂમિ ખેતાબાપા ના પરમ સાનિધ્યમાં (વિથોણ) ખાતે કબડ્ડી ટુર્નામેન્ટ હુનર અને ટેલેન્ટ નું થશે અદ્ભૂત સંગમ તો થહી જાવ તૈયાર આપણે પણ આ પલ ના સાક્ષી બનવા માટે જઈશુ (વિથોણ) આગામી તા.૩૦/૧૦ થી ૩૧/૧૦ દરમિયાન સાંજે (૬:૦૦) કલાક થી તો આવો સાથે મળીને આપણા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરીએ…. રમશે પાટીદાર… જીતશે પાટીદાર