નાગપુરનો પાટીદાર સમાજ સ્થાપનાની 75મી વર્ષગાંઠ નિમિત્તે નવીનીકરણ કરાયેલ પાટીદાર ભવનનું ઉદ્ઘાટન કરશે

`

श्री कच्छ पाटीदार समाज
लकड़गंज, नागपुर

समाज नी स्थापना ने 75 वर्ष पुर्ण थतां “अमृत महोत्सव” नी उजमणी साथे नुतनीकृत पाटीदार भवनना उद्धधाटन नो कार्यक्रम देश नी स्वतंत्रता ना शुभ दिने थवा जई रहेल छे.

आथी आप सर्व ज्ञातिजनोने निम्नलिखित कार्यक्रमोमां सहभागी थवा समाज भावभर्यु हार्दिक आमंत्रण पाठवे छे.

*कार्यक्रम स्थल अने समय:*

श्री पाटीदार भवन, लकडगंज
ता. 15-अगस्ट-2023, मंगलवार

🇮🇳 प्रथम सत्र 🇮🇳
9:00 वाग्ये सवारे
श्री अखिल भारतीय कच्छ कडवा पाटीदार समाजना प्रथम व्यक्ति अने आजना कार्यक्रम ना विशेष अतीथी ऐवा आपडा माननीय प्रमुख श्री अबजीभाई कानाणी नी विशेष उपस्थिती साथे ध्वजारोहण अने स्वतंत्रता समारोह

विशेष उपलब्धी प्राप्त होनहार विधार्थीओ ना सरस्वति सम्मान अने वृक्षारोपण

🚩 द्वितीय सत्र 🚩
1:00 वाग्ये पूजा अर्चना
2:15 वाग्ये श्रीफल होम
2:30 वाग्ये
नुतनीकृत पाटीदार भवन ना उद्धधाटन ना दाताश्री दिनेशभाई तथा डाहयाभाई भावाणी परिवार (भागवत ग्रुप) ना वरद-हस्ते थी उद्धधाटन समारोह

समाजना अमृत महोत्सव ना शुभ अवसरे आपडी लकड़गंज समाजना पूर्व प्रमुखो तथा मानदमंत्रीओ ना विशेष सन्मान

विविध दाताश्रीओ ना सन्मान अने पूर्व महापौर श्री दयाशंकर तिवारी नुं प्रेरक प्रवचन

7:30 वाग्ये सांजे

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઊંઝા દ્વારા ઓનલાઈન રૂમ બુકિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઊંઝા
Online Room Booking

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના

  • ઉમા ભવન – ઊંઝા
  • ઉમા ભવન માનસરોવર – ઊંઝા

એ.સી. રૂમ બુકીંગ માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની
Website : www.maaumiya.com પર Online Room Booking સુવિધા ઉપલબ્ધ છે.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઊંઝા દ્વારા સંચાલિત
શ્રી ઉમિયા પથિકાશ્રમ – અંબાજી
www.yatradham.org પર Online Room Booking સુવિધા ઉપલબ્ધ છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા
Ph. 02767 – 245472, Mo. 8511016000, Unjha – 384170. (North Guj.)

અંતર નો સાચો આનંદ

જ્યારે નાઇજિરિયન અબજોપતિ ફેમી ઓટેડોલાને ટેલિફોન ઇન્ટરવ્યુમાં રેડિયો પ્રસ્તુતકર્તા દ્વારા પુછવામાં આવ્યું કે,
“સર તમને શું યાદ છે કે જે તમને જીવનમાં સૌથી સુખી માણસ બનાવે છે…?”

ફેમીએ કહ્યું :
હું જીવનમાં સુખના ચાર તબક્કામાંથી પસાર થયો છું અને અંતે મને સાચા સુખનો અર્થ સમજાયો.

પ્રથમ તબક્કો સંપત્તિ અને સાધનો એકઠા કરવાનો હતો.
પણ…
આ તબક્કે મને જોઈતું સુખ મળ્યું નહીં…!

પછી કિંમતી વસ્તુઓ ખરીદવાનો અને વસ્તુઓ એકત્રિત કરવાનો બીજો તબક્કો આવ્યો.
પણ…
મને સમજાયું કે આ વસ્તુની અસર પણ કામચલાઉ છે અને મુલ્યવાન વસ્તુઓની ચમક લાંબો સમય ટકતી નથી…!

પછી મોટા પ્રોજેક્ટસ મેળવવાનો ત્રીજો તબક્કો આવ્યો.
તે સમયે…
જ્યારે હું નાઇજીરીયા અને આફ્રિકામાં ૯૫% ડીઝલ પુરવઠો ધરાવતો હતો.
હું આફ્રિકા અને એશિયાનો સૌથી મોટો જહાજ માલિક પણ હતો.
પણ…
અહીં પણ મને જે સુખની કલ્પના હતી તે મને મળી નથી…!

ચોથો તબક્કો એ સમય હતો…
જ્યારે…
મારા એક મિત્રએ મને કેટલાક અપંગ બાળકો માટે વ્હીલચેર ખરીદવાનું કહ્યું. માત્ર ૨૦૦ બાળકો.

મિત્રની વિનંતી પર મેં તરત જ વ્હીલચેર ખરીદી.

પણ મિત્રએ આગ્રહ કર્યો કે,
હું તેની સાથે જાઉં અને બાળકોને વ્હીલચેર મારા પોતાના હાથે સોંપું. હું તૈયાર થયો અને તેની સાથે ગયો.

ત્યાં મેં આ બાળકોને આ વ્હીલચેર મારા પોતાના હાથે આપી.
મેં આ બાળકોના ચહેરા પર ખુશીની વિચિત્ર ચમક જોઈ.
મેં તે બધાને વ્હીલચેર પર બેઠેલા, ફરતા અને મજા કરતા જોયા.

એવું લાગતું હતું કે…
તેઓ એક પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓ જેકપોટ જીતી રહ્યા છે…!

મને મારી અંદર સાચો આનંદ લાગ્યો.
જ્યારે મેં જવાનું નક્કી કર્યું ત્યારે એક બાળકે મારા પગ પકડી લીધા.
મેં મારા પગને હળવેથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો પણ બાળકે મારા ચહેરા તરફ જોયું અને મારા પગને ચુસ્તપણે પકડી રાખ્યા.

મેં નીચે નમીને બાળકને પૂછ્યું:
તમને બીજું કંઈક જોઈએ છે…?

આ બાળકે મને જે જવાબ આપ્યો તે મને માત્ર ખુશ જ નહીં પણ જીવન પ્રત્યેનો મારો અભિગમ પણ સંપુર્ણપણે બદલી નાખ્યો.

એ બાળકે કહ્યું:
હું તમારો ચહેરો યાદ રાખવા માંગુ છું જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું…!

હું પ્રાર્થના કરું છું કે,
તમારા જીવનમાં પણ ઈશ્વર આવું જ કાંઈક કરે કે કોઈક તમારો ચહેરો ફરીથી જોવાની ઇચ્છા રાખે…!

હંમેશા ખુશ રહો
જે મળેલ છે, પૂરતું છે

લક્ષ્મીકાંત પોકાર

एक सुंदर कहानी

चंदन का कोयला तो न बनायें

एक राजा वन विहार के लिए गया। शिकार का पीछा करते-करते राह भटक गया। घने जंगल में जा पहुंचा। रास्ता साफ नहीं दीख पड़ता था। साथी कोई रहा नहीं। रात हो गई। जंगल के हिंसक पशु दहाड़ने लगे। राजा डरा और रात्रि बिताने के लिए किसी आश्रय की तलाश करने लगा।

ऊंचे पेड़ पर चढ़कर देखा तो उत्तर दिशा में किसी झोंपड़ी में दीपक जलता दिखाई दिया। राजा उसी दिशा में चल पड़ा और किसी वनवासी की झोपड़ी में जा पहुंचा।

अपने को एक राह भूला पथिक बताते हुए राजा ने उस व्यक्ति से एक रात निवास कर लेने देने की प्रार्थना की। वनवासी उदार मन वाला था। उसने प्रसन्नता पूर्वक ठहराया और घर में जो कुछ खाने को था, देकर उसकी भूख बुझाई। स्वयं जमीन पर सोया और अतिथि को आराम से नींद लेने के लिए अपनी चारपाई दे दी।

राजा ने भूख बुझाई। थकान मिटाई और गहरी नींद सोया। वनवासी की उदारता पर उसका मन बहुत प्रसन्न था। सवेरा होने पर उस वनवासी ने सही रास्ते पर छोड़ आने के लिए साथ चलने की भी सहायता की।

दोनों एक दूसरे से विलग होने लगे। तो राजा को उस एक दिन के गान और आतिथ्य का बदला चुकाने का मन आया। परंतु क्या दे? कुछ दे भी तो उस एकांतवासी पर चोर रहने क्यों देंगे? इसलिए ऐसी भेंट देनी चाहिए जिसके चोरी होने का डर भी नहीं और आवश्यकतानुसार उसमें से आवश्यक राशि उपलब्ध होती रहे।

उसी जंगल में राजा का एक विशाल चंदन उद्यान था। उसमें बढ़िया चंदन के सैकड़ों पेड़ थे। राजा ने अपना पूरा परिचय वनवासी को दिया और अपने हाथ से लिखकर उसे चंदन उद्यान का स्वामी बना दिया। दोनों संतोष पूर्वक अपने-अपने घर चले गये।

वनवासी लकड़ी बेचकर गुजारा करता था। इसने लकड़ी का कोयला बना कर बेचने में कम श्रम पड़ने तथा अधिक पैसा मिलने की जानकारी प्राप्त कर ली थी। वही रीति-नीति अपनायी। पेड़ अच्छे और बड़े थे। आसानी से कोयला बनने लगा। उसने एक के बजाय दो फेरी निकट के नगर में लगानी आरंभ कर दी ताकि दूनी आमदनी होने लगे। वनवासी बहुत प्रसन्न था। 

अधिक पैसा मिल जाने पर उसने अधिक सुविधा सामग्री खरीदनी आरंभ कर दी और अधिक शौक मौज से रहने लगा।

दो वर्ष में चंदन का प्रायः पूरा उद्यान कोयला बन गया। एक ही पेड़ बचा। एक दिन वर्षा होने से कोयला तो न बन सका। कुछ प्राप्त करने के लिए पेड़ से एक डाली काटी और उसे ही लेकर नगर गया। लकड़ी में से भारी सुगंध आ रही थी। खरीददारों ने समझ लिया चह चंदन है। कोयले की तुलना में दस गुना अधिक पैसा मिला। सभी उस लकड़ी की मांग करने लगे। कहा कि-भीगी लकड़ी के कुछ कम दाम मिले हैं। सूखी होने पर उसकी और भी अधिक कीमत देंगे।

वन वासी पैसे लेकर लौटा और मन ही मन विचार करने लगा। यह लकड़ी तो बहुत कीमती है। मैंने इसके कोयले बनाकर बेचने की भारी भूल की, यदि लकड़ी काटता बेचता रहता तो कितना धनाढ्य बन जाता और इतनी संपदा इकट्ठी कर लेता जो पीढ़ियों तक काम देती।

राजा के पास जाने व पुनः याचना कर अपनी मूर्खता दर्शाने में कोई सार न था। शरीर भी बुड्ढा हो गया था। कुछ अधिक पुरुषार्थ करने का उत्साह नहीं था। झाड़ियां काटकर कोयले बनाने और पेट पालने की वही पुरानी प्रक्रिया अपना ली और जैसे-तैसे गुजारा करने लगा।

मनुष्य जीवन चंदन उद्यान है इसकी एक-एक टहनी असाधारण मूल्यवान है। जो इसका सदुपयोग कर सकें, वे धन्य होंगे, जिनने प्रमाद बरता वे वनवासी की तरह पछतायेंगे।

सदैव प्रसन्न रहीये

जो प्राप्त है, पर्याप्त है

સાચા વારસદાર અમે……

લાગણીઓ લઇ પ્રેમનો ભર્યો છે દરબાર તમે…..
અહેસાસોની ઓથમાં જોયા છે નિરાકાર અમે…..

મન મંદિરમાં મનગમતો આપ્યો છે આકાર તમે…..
બંધ આંખોમાં જ કરીએ છીએ સાક્ષાત્કાર અમે…..

કરતા રહ્યાં છો અભિષેક મુખમાં લગાતાર તમે……
જેલ્યા છે તમારા ભરોસે કેટલાય પડકાર અમે…..

જીવ જગતને જગદીશ સમજાવો ગીતાકાર તમે…..
તમારો જ અંશ બની અવતરેલા અવતાર અમે……

અટવાયા આજે ભોગવાદ ને ભ્રાંતવાદમાં તમે…..
ચમત્કાર જોઇ દંડવત પડી કરતા નમસ્કાર અમે…..

હૃદય માં બિરાજી માનવનું ગૌરવ જગાડનાર તમે…..
વિશ્વે માન્ય કરેલી સંસ્કૃતિ ના સાચા વારસદાર અમે……!!

રચિયિતા:-
દિનેશભાઇ.વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી (નવસારી) મો. ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ. રવાપર.

નર્મદા વાળા બાપા લખમશી વાડિયા …

આયુર્વેદ પર જઇયે નિરોગી રહીયે
વૈદ્ય લખમશી વાડિયા (નર્મદા વાળા બાપા)
આર્ય ફાર્મ, ગામ :- કાઠડા, પોસ્ટ:- શિરવા, પી.:-370465, માંડવી કચ્છ

પથરી, ગુટણ, હાડકાના દુખાવા મટાડવા.
કચ્છમાં પથરી,ગુટણ,મણકાના દર્દ વધી ગયા છે. કારણ ક્ષારવાળું પાણી કચ્છમાં પાણી ૧૦૦૦ ફૂટ ઊંડાઈ એ છે. ને ૮-૧૦ હજાર ટીડીએસ થઈ ગયા છે, ફિલ્ટર પાણીથી શારીરિક નુકશાન છે.
કચ્છને જરૂર છે નર્મદાનાં નીરની.

(૧) સરદાર વલ્લભભાઇ પટેલ કચ્છના રાજા પાસે રાજ્ય લેવા આવેલા કચ્છના રાજાએ ત્રણ શરત થી રાજ આપેલ, નર્મદાનું ૩૨%, પાણી કંડલા બંદર, કેન્દ્ર થી જોડાણ. ૧૯૬૧ મા નર્મદા બંધનો શિલાલ્યસ થયો. કચ્છને ૩૨% સિંધા ઢાળ થી પાણી આપવા બીજી જગ્યા એ ૧૩૮ મીટર ઊંચાઈ મળે છે. ત્યાં બંધ બધાઓ ૧૯૭૯ માં પાણી પંચે ત્રણ રાજ્યની પાણી ની વેચણી કરી. ગુજરાતને ૯૦ લાખ એકર પાણી મળ્યું ને ૪૫ વર્ષે કેનાલો પૂરી કરવી, પછી પાણીની ફેરફાળવણી કરવાની, હવે ૨ વર્ષ બાકી. કચ્છની પ્રજા યાદ રાખે સરકાર પાણી આપવા ગંલાતંલા કરે છે. ને ત્યારથી બંધ બાધવાનું શરૂ થયું ૧૯૯૦ માં બંધ ૯૦ મીટર બંધાયો. ત્યારે બંધની ઊંચાઈ ગટાડવા સુપ્રીમ કોર્ટમાં સ્ટે લીધો, કોર્ટને જવાબ આપવા ૧૯૯૩ માં વિધાનસભામાં કચ્છની બોર્ડર સાચવવા ૩૦
લાખ એકર વધારાનું પાણી આપવા સર્વ ના મતે ઠરાવ કર્યો, ને કોર્ટ માં રજૂ કરયો, કચ્છ ના માટે 138 મીટર ઉચાઈ જથાવત રાખવા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, નર્મદા યોજના બની કચ્છ માટે. નર્મદા નું પાણી આપવા કચ્છ અગ્રતા ક્રમે હતું, પણ દક્ષિણ ગુજરાત ના 15 જિલ્લા નર્મદા ક્રમાક માં નથી, ને 31 જિલ્લા ને 87 લાખ એકર કાયમી પાણી ને કચ્છ ને 30 લાખ ફાળવેલ પાણી માથી 20 લાખ એકર વધારાનું પાણી ની કેનાલો કરોડો રૂપિયા ફાળવી ને બની ગઈ છે, ને આખા ગુજરાતને પાણી મળે છે. માત્ર એક કચ્છ જિલ્લો નર્મદા ના પાણી થી બાકી છે, સરકારે ઈરાદા પુરવક કચ્છ ને નર્મદા નું પાણી ના આપી હળાહળ અન્યાય કરી પાપ કર્યું છે. વિશ્વાસ ગાત કર્યો છે. મિત્રો પાપ સહન કરવું મહાપાપ છે, 121 મીટર ઉપર નું પાણી વધારાનું કેવાય. 2006 માં કચ્છ ને વધારાનું પાણી 10 લાખ એકર નરેન્દ્રભાઈ એ મંજૂર કરેલ. સર્વ કરાવી ને નવો નક્શો બનાવેલ આ છે. તો નકશા મુજબ વિધાન સભા ના ઠરાવ મુજબ, સુપ્રીમ કોર્ટ ના ચુકાદા મુજબ, 2007 મા નરેન્દ્રભાઈ એ રાષ્ટ્રીય પાણી પંચને લખેલ પત્ર, ને પત્ર નો પાણી પંચે આપેલ જવાબ,(બને પત્ર મારી પાસે છે.) મુજબ સીધા ઢાળ થી કચ્છ ને પાણી જલ્દી આપો. સદભાવ અદા કરો.

(2) આ છે કચ્છ ના 3 પ્રશ્નો.
૧. કચ્છ ની બ્રાન્ચ કેનાલ આડેસર ની ખાડી પાસે ૨૨૦ ક્યુસેક્સ ની આવી છે, ત્યાથી વધારાના ૧૦ લાખ એકર
પાણી ની બીજી ૭ લિંક કેનાલો નીકળે ને કચ્છ ને પાણી પોચે.
૨. ૭ લીક કેનાલો ની કામ કરવાની વહીવટી મંજૂરી તત્કાળ મળે. જમીન સંપાદન થાય, ટેન્ડર પડે. જલ્દી કેનાલો પૂરી થાય.
૩. આ આવતા બજેટ માં વધારા ના પાણી ની કેનાલ ખાડી માં બનવા ને ૭ લીક કેનાલો માટે. કચ્છ ના તળાવો ઉંડા કરવા ની ગ્રાન્ટ પંદર થી વિશ હજાર કરોડ ફળવાય, સધર્ન લીક કેનાલ, ટપ્પર ડેમ થી દરશડી, અને ટપ્પર, રુદ્રાણી, નિરોણા માટે રૂપિયા 4375 કરોડ ફાળવાયા છે, તે કામ જલ્દી કરો. વળી રૂપિયા પેલા ની જેમ પાછા ના જાય.અને ઉપર લખ્યા મુજબ બજેટ સરકાર ફાળવે. નહિતર, સરકાર ને વિધાનસભા, લોક સભા ભારે પડસે.

(3) કચ્છ ને નર્મદા નું પાણી આપવા 25 વર્ષ થી સરકાર ચુટણી વખતે ખોટા આશ્વસન આપે છે, કચ્છની પ્રજાને ઉલૂ બનાવે છે, હવે 2 વર્ષ કાઢવા છે. પછી કચ્છને પાણી નહિ મળે. બીજા વર્ષ નર્મદા ના પાણી ની ફેરફાળવણી થસે, કચ્છ પ્રજા યાદ રાખે, આ છેલૂ બજેટ છે, 2022 ની ચુટણી પછી સરકાર કચ્છ ને પાણી નહીં આપે, ખમીર વંતી પ્રજાને ખમીર બતાવવા નો સમય આવી ગયો છે, ભારતીય કિશાન સંગ ના પ્રમુખ શિવજી ભાઈ આહિર એ આદેશ કર્યો છે, યુદ્ધ એ કલ્યાણ. ભારતીય કિશાન સંગ મહિલા પાંખ ના પ્રમુખ શ્રી મતી રાધાબેન ભૂડિયા આખા કચ્છ ને પાણી પોચાડવા મહિલા રણ ચંડી બનસે, કચ્છની ખમીરવંતી પ્રજા હવે, આપાર ઉપર ની લડાઈ લડવી પડશે, કેવત, જનની ને જન્મ ભૂમિ, પ્રાણ થી પ્યારી હોય. ભા, કિશાન સંગ અન્ય સંસ્થાઓ સાથે મળી ને આદેશ કરે ત્યારે, કચ્છ ની પ્રજા ઉમટી પડે. ખમીર વંતી પ્રજા ખમીર બતાવે, હવે આ પાર કે ઉ પાર ની લડાઈ લડવી પડશે, તો
નર્મદા નું પાણી કચ્છ ને મળસે, અણી નો ચૂક્યો 100 વર્ષ જીવે, હવે નહીં જાગીએ તો ભાવિ પેઢી ને ઈતિયાસ માફ ની કરે. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. જીના હૈ તો વતન કે લિયે, મરના હૈ વતન કે લિયે. કચ્છી ઓ જાગો-જાગો જાગતા રહો જય નર્મદે,

નર્મદા વાળા બાપા લખમશી વાડિયા …

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન , કેનેડાની ટીમ દ્વારા ગુજરાતના દીકરા દીકરીઓ માટે કેનેડામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. કોઇપણ સમાજની કોઇપણ વ્યક્તિ કેનેડાની કોઈપણ યુનિવર્સિટીમાં અભ્યાસ સાથે જતી હોય કે નોકરી – ધંધા અર્થે જતી હોય અને જો તેમને કેનેડામાં કોઈપણ પ્રકારની મદદ ની જરૂરિયાત હોય તો તેમણે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતી છે. અમારી કેનેડાની ટીમે કેનેડાની દરેક યુનિવર્સિટીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના બ્રાન્ડ એમ્બેસેડરની નિયુક્તિ કરી દીધેલ છે. જે તે યુનિવર્સિટીમાં જે કોઈ અભ્યાસ માટે જાય અને તેને જો મદદની જરૂર હોય અને અગાઉથી તેની જાણ સંસ્થાને કરવામાં આવે તો જે તે યુનિવર્સિટીના VUF ના બ્રાન્ડ એમ્બેસેડર તેને એરપોર્ટ થી લાવવા, તેના રહેવાની -જમવાની તમામ વ્યવસ્થા કરી આપવામાં મદદરૂપ થાય છે .આ બાબતની જાણ દરેકે પોતાના સમાજમાં કરવી અને જરૂર પડે વિશ્વ ઉમિયા ધામ નો સંપર્ક કરવો , આર.પી. પટેલ , પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.

કોઇ પૂછે તો કહેજો…….

કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ…
મુશ્કેલી આવે તો હિંમત વધારવા એકબીજાને કહીએ છીએ…
સુખનો ગુણાકાર ને દુઃખનો ભાગકાર કરીને રોજ..
હરખની હેલી વહાવવા ભૂલોને અમે ભૂલીએ છીએ…
સંબધોને અમે જીંદગીની પુંજીની જેમ સાચવ્યા છે..
એકબીજાની નાની મોટી કુટેવોને અમે સહીએ છીએ…
મિત્રોની મહેફિલ સદા અમારા હ્રદયમાં ભરેલી છે..
એટલે એકલતાની ઓથમાં પણ અમે રમીએ છીએ…
જગત આખું આજ એક મિશાલ બનાવી જોવે અમને..
કોઇ પૂછે તો કહેજો એકબીજાના દિલમાં રહીએ છીએ…….!!

રચિયિતા:- દિનેશભાઈ વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી (નવસારી ૯૮૨૪૯૫૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર

શુભ દિપાવલી

આવી છે.દિવાળી દિલ થી મનાવજો
અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો….
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,
જીવન નાં તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો.
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો
અંતર ની અભિલાષા એજ છે.
નવું વર્ષ આપના પરિવાર મા આખું વર્ષ સુખ .શાંતિ . સમૃદ્ધિ અને *સહકાર સભર નીવડે ** તે માટે પ્રભુ પાસે* પ્રાર્થના..
નૂતન વર્ષ થી જીવન નવ પલવિત થાય એવી હાર્દિક શુભકામના પાઠવી એ છીએ.…….

દિનેશભાઇ વી પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી
(નવસારી) મો ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ ( રવાપર,
)

જગત જનની જગદંબા…

તમે રમવા પધારો જગદંબા રે… માં ઉમિયાને સાથે તમે લાવજો રે…
તમે રમવા પધારો જગદંબા રે….

અમે મંડપ રોપ્યા છે માડી તમારા ધામે રે……
તમે આવો તો રમઝટ જામે રે….

આજ ઘર ઘરમાં ગુંજે છે નાદ તમારા રે…..
તમે આવો તો માડી થાય કામ અમારા રે…..

ચાચર ના ચોક મા તમે રમવા ને આવજો રે……
સાથે નવદુર્ગા માવડીને લાવજો રે….‌.

શક્તિ નો ભંડાર લઈને બેઠા છો ધામે રે……
આજ તમારા નામની જયકાર થાય ગામે ગામે રે…..
તમે રમવા પધારો જગદંબા રે…
માં ઉમિયાને સાથે તમે લાવજો રે…

રચિયિત:-
દિનેશભાઈ.વી.પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી(નવસારી)
(મો) ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ :- રવાપર