મહત્વ કોનું?

મહત્વ કોનું? સ્થાનનું કે વ્યક્તિનું?કહેવાય છે, કે સ્થાન, પદ, સત્તા આ એવી જગ્યાઓ છે. જે એક સામાન્ય માણસને રાતોરાત અસામાન્ય અને મહાન બનાવી દે છે. આ સ્થાનનું મહત્વ આપણાં શાસ્ત્રમાં પણ ઘણી રીતે આપવામાં આવ્યું છે. રામાયણ, મહાભારત આના ઉત્તમ ઉદાહરણ છે.સ્થાનનું મહત્વ ચોક્કસ છે. પણ જ્યારે એ સ્થાન પર બેસનાર વ્યક્તિની કીર્તિ, પ્રતિભા એની છબી એટલી પ્રભાવશાળી બની જાય છે, કે એ જે સ્થાન પર બેઠો છે એ સ્થાન એની અંદર કયાંક સમાય જાય છે. એ પછી એ વ્યક્તિને સ્થાનની કોઈ આવશ્યકતા રહેતી નથી.આપણે જ્યારે મહાભારત પર નજર નાખી એ ત્યારે આપણને એક ઉત્તમ ઉદાહરણ મળે છે. ભીષ્મ પિતામહ. ભીષ્મ રાજા નહોતાં છતાં તેમનું પ્રભુત્વ રાજા કરતા વધારે હતું. હસ્તિનાપુર આખેઆખું ભીષ્મ અંદર ભળી ગયેલું દેખાય. તેથી તેમને ક્યારે પદ કે સ્થાનની કોઈ આવશ્યકતા રહી જ નથી. આવાં ઘણાં ઉદહરણો આપણી આસપાસ આપણને મળી રહે છે. આપણા કર્મો અને વ્યક્તિત્વ જ આપણને સ્થાન આપવા અને ગુમાવવા કારણભૂત છે.આજના સમયમાં સ્થાન, પદ શબ્દ યાદ આવે ત્યારે રાજકારણ શબ્દ આપોઆપ યાદ આવી જાય. ત્યાં બધા જ કોઈને કોઈ સ્થાન માટે હરીફાઈ કરતા દેખાય છે, લડતા દેખાય છે. અને ત્યાં જ જો સમય આવતા સ્થાન પરથી ન હટવામાં આવે તો પ્રગતિ કયારે અધોગતિમાં બદલાય જાય વ્યક્તિને ખબર પણ ન પડે. દ્રોપદીના ચીરહરણ વખતે પોતાના સ્થાન પર બેસી રહેલા દરેકની સ્થિતિ આપણને ખબર જ છે. તેથી યોગ્ય સમય પર સ્થાન છોડી દેવું એ પણ ઉત્તમ કાર્ય માની શકાય. અંતમા એટલુ જ તારણ કરી શકાય કે જ્યારે વ્યક્તિ ખરેખર પ્રતિભાશાળી બને ત્યારે આપોઆપ એનું સ્થાન, પદ મટી જાય છે અને એમાં જ ભળી જાય છે.

લેખકનિકુલભાઈ

આમને આમ જિંદગી ચાલી જાય છે……..

નીશાને લઇ શાંતિ જમાવી જાય છે..
કિરણને લઇ સૌને નમાવી જાય છે…

સંધ્યાને લઇ સાંજને સજાવી જાય છે…
ચાંદનીને લઇ ચંદ્રને ખીલાવી જાય છે…

સૃષ્ટિને લઇ જગતને જગાવી જાય છે…
અર્પિતને લઇ અંતરને ભીંજાવી જાય છે….

ઉષાને લઇ ઉજાસ ફેલાવી જાય છે….
દિનેશને લઇ દિન બદલી જાય છે….

આમને આમ જિંદગી ચાલી જાય છે……..!!

રચિયિતા:-
દિનેશભાઇ. વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી. ચીખલી (નવસારી) મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર.

અથૅના અનથૅ કરી જાય છે…….

અર્થના અનર્થ કરી જાય છે..
વ્યર્થ વાતો ઘર ભરી જાય છે..

એક ઘા ને બે કટકા થતાં ઘડીમાં..
મુખેથી શબ્દો જ્યાં સરી જાય છે..

હુંડી પર ભરોસા ક્યાંથી કરે..
લખેલા લખાણે ફરી જાય છે..

જાત ઘસીને પૂજાય છે કોણ..?
મુરાદોમાં તારા થૈ ખરી જાય છે..

જોયા છે જગતમાં આજે પણ..
રામના નામે પત્થર તરી જાય છે…..!!

રચયિતા:-
દિનેશભાઇ .વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી ચીખલી (નવસારી) મો:- ૯૮૨૪૯૬૧૦૪૯
કચ્છ માં ગામ:- રવાપર.

કાંટા ની વચ્ચે ખીલતા ગુલાબ અમે જોયા છે…..

કાંટાની વચ્ચે ખીલતા ગુલાબ અમે જોયા છે…
કાદવની વચ્ચે ઉગતાં કમળ અમે જોયા છે…

એક શોભે ભગવાનને શિરે બીજુ શોભે છે કબરે…
તવાયફની વેણીમાં શોભતા મોગરા અમે જોયા છે…

અટકતા ભટકતા ને નડતા તોય રહેતા હરખાતાં..
વીર મારુતિના કંઠમાં ચડતા આંકડા અમે જોયા છે…

કોઈ સૂંઘતું નથી કોઈ તોડતું નથી કોઈ ખાતું નથી..
શિવજીના ડોકમાં લટકતા ધંતુરા અમે જોયા છે………..!!

રચિયિતા:-
દિનેશભાઇ. વી. પોકાર
શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી. ચીખલી (નવસારી)

મો:- ૯૮૨૪૯૬૧૦૪૯

કચ્છ માં ગામ:- ‌‌રવાપર.

તે મુજબ પાટડી

તે મુજબ પાટડી, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, તે સમયના કડી પ્રાન્ત, દક્ષિણમા વરાડને ખાનદેશ, કાઠિયાવાડ*અને જે જે ભાગોમા કણબીની વસ્તી તે ભાગોમા ઉઘરાણુ કર્યુને રૂ.એક લાખ માતાજીની અસીમ કૃપાથી એકઠા થયા. તેમ થતા જ્ઞાતિના આગેવાનોએ મળી (ઇ.સ.૧૮૬૫) એક સરસ પત્થરનુ દેવળ બનાવવા ઠરાવ કર્યો. આ કામ શ્રી રામચંદ્રભાઈ અમદાવાદ વાળાને સોપ્યુ.ઈંટ ચુનાના મંદિરની જગાએ પત્થરનુ નવુ મંદિર, ઈંટ ચુનાની ઘુમટવાળી ચોકીઓ, મંડપને નીચે ભોયરૂ એ તૈયાર થયા. પરંતુ કેટલુક કામ અપૂર્ણ રહી ગયુ. રા.બ.લશ્કરી શેઠે તે પૂર્ણ કરવા અને નવુ બીજુ કામ કરવા ધારણા કરી હતી. આ હેતુ પાર પાડવા ગાયકવાડ સરકાર કડી પ્રાન્તમા પધાર્યા ત્યારે તેમના ખાનગી કારભારી અને કડી પ્રાન્તના સુબા રા.બ.લક્ષમણરાવ જગન્નાથ દ્વારા નજીકનુ ઉમિયાધામ જોવાને તથા અપૂર્ણ કામ પુર્ણ કરવા તથા એક ધર્મશાળા બાધવામા મદદ કરવા તેઓશ્રીને વિનંતી કરવામા આવી. તે મુજબ ગાયકવાડ ત્યા પધાર્યા.પણ ત્યા કોઈ આગળ પડતો જ્ઞાતિબંધુ ન હોવાથી નાણા સબંધી કોઈ વાત કરી નહી. પરંતુ તે સબંધે સુબા સાહેબનો રા.બ.બહેચરદાસ લશ્કરી પર પત્ર હતો જેમા લખ્યુ હતુ કે… જો તમે યોગ્ય રકમએકઠી કરશો તો શ્રીમંત ગાયકવાડ સરકાર પણ બહોળા હાથે મદદ કરશે. (ટાઈમ્સ ઓફ ઈન્ડિયા તારીખ ૧૩-૧-૧૮૮૩) આ પ્રમાણે પત્ર મળતા તા૧૮-૧-૧૮૮૩ ના રોજ માતાજીના દેવળને પુરૂ કરવાને એક ધરમશાળા બનાવવા વિશે વિચાર કરવા મોટા મોટા બાસઠ ગામો પોતાને ત્યા તેડાવી એક અઠવાડિયા સુધી રાખ્યા અને યોગ્ય સરભરા કરી. તે ગામોના ૪૦૦ જેટલા પ્રતિનીધીઓ આવ્યા હતા. તેમને માતાજીના દેવળ અંગે,ધરમશાળા અંગે અને સુબાજીના પત્ર અંગે એમ સઘળા કામોની સમજણ પાડી કે તરત જ સહુએ મળી ત્યા જ રૂ.૫૨૮૬/ ભરી આપ્યા.ત્યાર પછી આ કામે પાટડીના નામદાર દરબારે રૂ.૧૦૦૧/ તથા રા.બ.બહેચરદાસ લશ્કરીએ રૂ.૧૦૦૦/ બીજા પરચુરણ દાતાઓના કુલ મળી રૂ.૨૦૦૪/ એટલે કુલ રૂ.૯૨૯૧/ થયા. આ પ્રમાણે ભરાયેલી રકમ વિશે તથા નેક નામદાર તરફથી યોગ્ય રકમ મેળવવા લશ્કરી શેઠે રા.બ.સુબા લક્ષમણરાવને પત્ર લખ્યો (તા.૧૪-૧૦-૧૮૮૩) જેના જવાબ મા તા.૪-૧૨-૧૮૮૩ મા સુબા લક્ષમણરાવે નેક નામદાર ગાયકવાડ સરકારને લખાણ કર્યુ. અને નામદાર ગાયકવાડે તા ૨૬-૧૨-૧૮૮૩ના રોજ રૂ.૧૫૦૦/ રોકડા લશ્કરી શેઠને આપવા હુકમ કર્યોને આ રકમ લશ્કરી શેઠને મળી. ઇ.સ.૧૮૮૪ના જાન્યુઆરીમા ૨૪મી તારીખે ઉઝા સ્વસ્થાને આગેવાનોની એક સભા મળી. તેમા આખા દેશમા જ્યા જ્યા કડવા કણબીઓ વસતા હોય ત્યાથી ઘર દીઠ એક રૂપિયો ઉઘરાવવા ઠરાવ કર્યો અને વિશ્વાસપાત્ર માણસો રાખી ઉઘરાણુ શરૂ કરાવ્યુ.બીજી તરફ તા.૨૫-૧-૧૮૮૫ના દિવસે લશ્કરી શેઠે મકાનો*lઅને ધરમશાળાના કામોના નમુના તથા ખરચનો આકડો રૂ.૧૩૦૫૧/ વગેરેના કાગળો મીટીગમા મુક્યા તે રીતે કામ પૂરૂ કરવાઅને જરૂરી સુધારા વધારા કરવાની સત્તા લશ્કરી શેઠને આપતો ઠરાવ કર્યો. જુદા જુદા ગામોનુ ઉઘરાણુ આવતા કુલ રૂ.૨૫,૦૬૮ થયા.તે વિશાળ ધરમશાળા પૂર્વ પશ્વિમ ૧૮૫ ફુટને ઉત્તરે ૧૬૦ ફુટને દક્ષિણે ૧૪૮ ફુટ હતી. તેમા કુલ ૬૧ વિભાગ છે. તે ખંડને મહેરદાર દરવાજા હતા. ભોયતળિયાની કિનારીમા સફેદ પત્થર વાપર્યા હતાઅને ધરમશાળા પર છોબંધ ધાબુ બનાવી ચોગરદમ ફરતી અગાસી કરી હતી. ધરમશાળાને ચારે બાજુ ઘુમટ રાખ્યા હતા. ઉંઝાના પટેલ ત્રિકમદાસ બેચરદાસ રૂસાતે મંદિરની નજીક પોતાની જમીનનો ટુકડો મંદિરની બહાર ધરમશાળા બાધવા માટે વિના મૂલ્યે અર્પણ કરેલ છે.ઇ.સ.૧૮૮૭મા મંદિર અને ધરમશાળા અને ઓરડીઓના કામો પુરા થતા મા ઉમા સ્વસ્થાન કમિટીના સભાસદો તેને ખુલ્લુ મુકવાની વીધિ કરવા ગાયકવાડ સરકારને આમંત્રિત કરવા ગયા. તેમણે પોતાના વતી કડી પ્રાન્તના સુબા સાહેબને વિધી કરવા હુકમ કર્યો. આઠથી દસ હજાર કણબી અને અન્ય ભેગા થયાને તા.૬-૨-૧૮૮૭ ના દિવસે ઉદઘાટન વિધી થયી. ગાયકવાડ સરકાર તરફથી ઉમિયા માતાજીને ઉત્તમ પોશાક ભેટ ધરાવવામા આવ્યો. આ ઉપરાત આવા લોકહિતના કામોમા તન, મન અને ધનથી ભાગ લેવા માટે શેઠ શ્રી બેચરદાસ લશ્કરીને ગાયકવાડ સરકારશ્રી તરફથી સાલ,જોટોને પાઘડી ભેટ મળ્યા હતા. મંદિર પર શિખર ચઢાવવાની ભેટ રૂ.૨૦૦૦/ શ્રીપા.નાગરદાસ ઉગરદાસ તથા કશળદાસ કિશોરદાસે આપ્યા હતા.માઁ ઉમિયા માતા સૌની રક્ષા કરે

સૌરમંડળ નો સૌથી નાનો અને પ્રથમ ગ્રહ : બુધ

સૂર્યમાળામાં સૂર્યથી સૌથી નજીક બુધ ગ્રહ આવે છે. તે સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ પણ છે. જ્યારે સૂર્યથી તે સૌથી નજીક હોય ત્યારે તેનું અંતર ૪૫૯ લાખ કિ.મી. અને સૌથી દૂર હોય ત્યારે ૬૯૭ લાખ કિ.મી. હોય છે. બુધ ગ્રહનો સરેરાશ વ્યાસ (diameter) ૪૮૮૦ km. છે. બુધ ગ્રહ બીજા ગ્રહના કેટલાય ઉપગ્રહ કરતાં પણ કદમાં નાનો છે.

બુધ ગ્રહ સૂર્યની સૌથી નજીક હોવાથી ૮૮ દિવસમાં જ સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે. તે સૌરમાળામાં સૌથી વધારે ઝડપથી એટલે કે ૧,૮૦,૦૦૦ km/sec ની ઝડપે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. બુધ ગ્રહને પોતાની ધરી પર ફરવામાં પૃથ્વીના  ૫૮.૬ જેટલા દિવસ લાગે છે. એટલે કે બુધ પર ૧ દિવસ પૃથ્વીના ૫૮.૬ જેટલો દિવસ હોય છે.

બુધ ના આકાશ માં સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ અજીબ રીતે થાય છે.પૃથ્વી પર આપણને સૂર્ય નું જે કદ જોવા મળે તે કરતા બુધ પર ત્રણ ગણા મોટા સ્વરૂપે દેખાય છે.આ ગ્રહ ને વળી પૃથ્વી જેવું વાતાવરણ નથી.સૂર્યમાળા ના સર્જન વખતે તેને વાયુનું ઘટ આવરણ ગુમાવી દીધું હતું.એટલે પરબારો આવતો સૂર્યપ્રકાશ દસ ગણો તેજસ્વી જણાય છે.ધરતી પર સવારમાં પૂર્વમાં ઉગતો સૂર્ય એકધારો પ્રવાસ ખેડી સાંજે પશ્ચિમમાં અંત પામે છે, જયારે બુધ પર એવું બનતું નથી.ક્ષિતિજે ઉગ્યા પછી ક્રમશ ઊંચે ચડ્યા બાદ તે સહેજ અટકે છે, ત્યારબાદ રિવર્સ માં પાછળ જાય છે અને છેવટે ઊંધા ચોગડા જેવો આકાર રચતો ફરી પશ્ચિમ ક્ષિતિજે આથમવા માટે આગળ વધે છે.આ જાતનું કૌતુકમય દ્રશ્ય સૂર્યમાળામાં બીજા કોઈ ગ્રહ પાર જોવા મળતું નથી.

બુધ ગ્રહ પરનું તાપમાન અસામાન્ય રીતે વધઘટ થાય છે. દિવસે તેનું મહત્તમ તાપમાન ૪૩૦ °C જેટલું હોય છે. જ્યારે રાત્રે તેનું તાપમાન ઘટીને -૧૮૦ °C જેટલું નીચું આવી જાય છે. ગુરુતમ તાપમાન ભલભલા પદાર્થને તરત વરાળમાં પલ્ટી નાખે, તો લઘુતમ તાપમાન જોતજોતામાં તેને ફ્રીઝ કરી દે !! પહેલા એમ માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્યથી સૌથી નજીક હોવાથી સૌથી ગરમ ગ્રહ છે પણ બુધ ગ્રહને પોતાનું કોઈ વાતાવરણ ન હોવાથી તે તાપમાનને શોષીને નથી રાખી શકતું એટલે આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ શુક્ર છે. કારણ કે તેને પોતાનું વાતાવરણ છે. પરંતુ તે બુધ ગ્રહ જેટલું વિષમ તાપમાન નથી ધરાવતો. બુધ ગ્રહને સૂર્યોદય પહેલાં ૧ કલાક અને સૂર્યાસ્ત પછી ૧ કલાક આકાશમાં નરી આંખે જોઈ શકાય છે.

જ્યારે બુધ ગ્રહ સૂર્યની પ્રદક્ષિણા કરતા સમયે સૂર્યની બીલકુલ સામે આવી જાય છે ત્યારે બુધને આસાનીથી જોઈ શકાય છે. જેને સંક્રમણ (transit) કહે છે. સૌથી પહેલા બુધ ગ્રહનું સંક્રમણ (transit) ઈ.સ. ૧૭૩૭માં જોવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૬૫ સુધી એમ માનવામાં આવતું હતું કે બુધ ગ્રહ સૂર્ય સાથે “tightly locked” છે એટલે કે બુધની એક બાજુ હંમેશાં સૂર્યની સામે હોય છે અને બીજી બાજુ હંમેશાં સૂર્યની વિરુદ્ધ દિશામાં. પરંતુ ઈ.સ. ૧૯૬૫માં “Doppler radar observation”થી આ વાત ખોટી સાબિત થઈ અને જાણવા મળ્યું કે બુધ સૂર્યથી બે વખત પ્રદક્ષિણામાં ત્રણ વખત પોતાની ધરી પર ફરે છે. (જ્યારે પૃથ્વી સૂર્યની એક વખત પ્રદક્ષિણામાં ૩૬૫ વખત પોતાની ધરી પર ફરે છે) એટલે કે બુધના બે વર્ષમાં ત્રણ દિવસ હોય છે.

બુધ ગ્રહ આપણી સૌરમાળામાં પૃથ્વી પછી બીજા નંબરનો સૌથી વધુ ઘનત્વ (density) ધરાવતો ગ્રહ છે. તેની ઘનતા ૫.૪૩ gm/cm³  છે. બુધ ગ્રહની core પૃથ્વીની જેમ જ dense ironની બનેલી છે. બુધ ગ્રહ પણ પૃથ્વીની જેમ જ ખડકીય ગ્રહ (Rocky planet) છે. બુધ ગ્રહની સપાટી આપણા ચંદ્રથી ઘણી મળતી આવે છે. બુધ ગ્રહની સપાટી પર પણ ચંદ્ર ગ્રહની જેમ જ ઘણા ખાડા (crater) જોવા મળે છે. ત્યાં એક ખાડાનો વ્યાસ લગભગ ૧૫૫૦ km. જેટલો મોટો છે.

બુધ ગ્રહ વિશે જાણવા માટે આજ સુધી બે અંતરીક્ષ યાન મુકવામાં આવ્યા છે. ઈ.સ. ૧૯૭૪માં પહેલું અંતરીક્ષ યાન “Meriner 10” મુકવામાં આવ્યું. જે બુધ ગ્રહના ફક્ત ૩ ચક્કર જ લગાવી શક્યું. વધારે પડતી ગરમી અને તાપમાનના કારણે ૨૪ માર્ચ ૧૯૭૫ના “Meriner 10”એ કામ કરવાનું બંધ કરી દીધું. ઈ.સ. ૧૯૯૧માં ખગોળશાસ્ત્રીઓએ રેડીઓ ટેલિસકોપના પાવરફૂલ રેડારમોજાં  બુધ તરફ પ્રસારિત કરીને પહેલીવાર શોધી કાઢ્યું કે તે ગ્રહ ની નાભિ લોખંડ ના નક્કર દડા જેવી છે.નાભિ નો વ્યાસ અંદાજે ૩,૬૦૦ કિલોમીટર હોવાનું તેણે જણાયું એ સાથે ખગોળશાસ્ત્રને ચેલેન્જ ફેકતો નવો સવાલ પેદા થયો: માત્ર ૪,૮૮୦ કિલોમીટર વ્યાસ ધરાવતા ટચુકડા બુધની નાભિ આટલી બધી મોટી હોવાનું કારણ શુ? આ સવાલ નો સચોટ જવાબ હાજી સુધી મળ્યો નથી. આ દરમિયાન બીજું અંતરીક્ષ યાન “Messenger” NASA દ્વારા ઈ.સ. ૨૦૦૪માં મુકવામાં આવ્યું. જેણે ઈ.સ. ૨૦૧૫ સુધી બુધ ગ્રહના આશરે ૨.૫ lakh જેટલાં high resolution ફોટા મોકલ્યા. જેના થકી આપણે બુધ ગ્રહ વિશે ઊંડાણપૂર્વક જાણી શક્યાં. છેલ્લે ૧૫ એપ્રિલ, ૨૦૧૫ના “Messenger” યાનને કાયમ માટે બુધની સપાટી પર છોડી દેવામાં આવ્યું.

વૃક્ષ ગુણોનો ભંડાર છે

સમસત માનવ જીવન માટે તરૂવર ઉપયોગી છે

વૃક્ષ મંદિર એટલે ધરતી ને ખોળે રમતું દેવાલય છે

જેને દવાર કે દિવાલ નથી મંદિર ને ધુમમટ કે કલશ નથી

ધ્વજ નહીં આરસ નું કોતર કામ નહીં છતાં પવિત્ર મંદિર

મનાય છે.મંદિર ની ભવ્યતા છે ભક્તિ ને ભાવ છે.

દુઃખી ને દિલાસો અને સુખી ને રાહ મળે છે ઈશ્વર કામ

કરવા વાળા ને પ્રેરણા મળે છે.અહી તો રણછોડ

છુપાયેલો નહીં છવાયેલો રહે છે.આ મુર્તી મનુષયકાર ની

નહીં પણ વૃક્ષાકાર ની છે.તેને વસંત ના વાઘા અને સંધ્યા ના

શણગાર છે.તેની આરતી ઉતારવા નભમંડળના તારલિયા

નાચતા હોયછે.આવા મંદિર માં જ ઈ નેં બેસો તો ખબર પડે

પ્રભુ એ આપણને કેવું કિંમતી કુદરતી વાતાવરણ આપ્યું છે.

જે આપણને વણ માગ્યું આપેછે.પણ આપણી પાસે સમય નથી.

સમય સમય કરી માણસ ભાન ભુલી જાય છે કે જે સાથે

આવવાનું છે તે વિસરી ને અહીં મુકીને જવાનું છે તેને સાચવે છે.

પ્રકૃતિ ના ગોદમાં બેસીને ઘડીભર હરી સ્મરણ થતું નથી.

પ્રકૃતિ માતા ધરતી માતા આધશક્તિ માતા પોતાના

સંતાનો માટે રાહજોઈ રહ્યાં છે.પણ માનવ માયા ના

દલદલમાં ફસાતો જાયછે.પ્રભુ સૌને સદબુદ્ધિ આપે.

લી. દમયંતી ચંદુલાલ સાખલા

મૈસુર (કચ્છ માં રતડિયા)

આવું કેમ?

પ્રિયા રજત ચોપડા

Priya140794@gmail.com

   એક મંદિરના પૂજારી અને એક નાઈ મિત્ર હતા. બંને એક દિવસ વાતોમાં વળગેલા અને વાત-વાતમાં નાઈએ પૂજારીને પ્રશ્ન કર્યો કે,…આ બધા લોકો આટલા દુઃખી કેમ હશે? શું ભગવાનને આ બધા લોકો પર દયા નહી આવતી હોય? આજે ચારે તરફ કેટલી તકલીફ છે, ક્યાંક ભૂકંપ-સુનામી, તો ક્યાંક ગરીબી- ભૂખમરો અને હવે અધૂરામાં પૂરું આ કોરોના! લોકો થાકી ગયા છે, હારી ગયા છે, પણ આ બધું જોતા ભગવાનને કંઈ જ નહી થતુ હોય?

   પ્રશ્ન સાંભળી, પૂજારી નાઈને એક ભિખારી પાસે લઈ ગયો, જેના વાળ અને દાઢી વિખરાયેલા અને ખૂબ વધી ગયેલા હતા. પુજારીએ કહ્યું કે, તમે નાઈ છો, અહ્યા હાજર છો, છતાં પણ આ વ્યક્તિની હાલત આવી કેમ? દાઢી-વાળ આવા કેમ?

   તરત જ જવાબ આપતા નાઈએ કહ્યું, …હા, હું હાજર છું પણ કોઈ મારો સંપર્ક કરે અથવા મારી પાસે આવે તો હું એનું કામ કરુ ને!

   તો આપણું પણ આવું જ કંઈક છે. આપણે પણ પરમાત્માનો સંપર્ક જ નથી કરતા. તો… એ પણ આપણું કામ કેવી રીતે કરે? ઘરમાં પણ બાળક માતા- પિતાને પોતાના પ્રશ્ન જણાવે જ નહી તો, માં-બાપ તેનો જવાબ કેવી રીતે આપે?

   ઘણા લોકો ફરિયાદ કે છે કે, ભગવાન આપણને દુ:ખ આપે છે, આ બધી ભગવાનની લીલા છે એની મરજી હોય એમ જ થાય, એની મરજી વગર પાંદડુ પણ હલી ન શકે! એની મરજીથી જ સુખ અને દુઃખ મળે! ઘણાને તો એવું કહેતા પણ સાંભળ્યા છે કે, ભગવાનની મરજીથી જ આ કોરોના ફેલાયો છે!!!!

   અરે!!! મારા વ્હાલા ભાઈઓ અને બહેનો, એક પ્રશ્નનો જવાબ સ્વયંને જ આપો કે, ક્યા માં- બાપ એવા હશે… જે પોતાના બાળકોનું અકલ્યાણ કે નુકશાન ઇચ્છતા હશે! કે એવા કોઈ માં-બાપ હશે કે જે, ત્રણ-ચાર બાળકોમાંથી એકનું સારું અને બીજા માટે ખરાબ વિચારતા હોય! હા, એ વાત અલગ છે કે, જો સંતાનો અવળા માર્ગે વળે કે ખોટી સંગતમાં આવી ખોટા કર્મ કરે ત્યારે જરૂરથી પ્રેમ ઓછો થઈ જાય છે. બાકી દરેક બાળક માટે માં-બાપનો પ્રેમ નદીના પાણીની જેમ શુદ્ધ, નિર્મળ અને એક સરખો જ હોય છે.

   બસ…એવી જ રીતે, ભગવાન પણ આપણા સુપ્રીમ ફાધર છે અને આપણે તેના વ્હાલા બાળકો. એ પોતાના બાળકો માટે અકલ્યાણનું વિચારી જ કેમ શકે? કોઈ દીકરો વધારે હોશિયાર હોય, કોઈ ઓછો….પણ માં-બાપને જેમ બધા વ્હાલા છે તેમ પરમાત્માને પણ દરેક આત્મા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે માટે જ જે તેમનો સંપર્ક કરે છે તેમને જરૂરથી તેનો અનુભવ થાય જ છે. એમની સર્વિસ તો 24×7 ચાલુ જ હોય છે. મેં પણ તેનો અનુભવ કરેલો છે. બસ સાચા દિલથી એમને યાદ તો કરી જુઓ હજુર મદદ માટે હાજર થઈ જશે!

   જ્યારે આપણે કોઈ કર્મ કરીએ છીએ ત્યારે આપણે તેના સારા- ખરાબ પાસાનો વિચાર નથી કરતા, અને જયારે તેનું પરીણામ સામે આવે ત્યારે દોષનો ટોપલો ભગવાનને આપી દઈએ તો આ વાતમાં કેટલી સમજદારી કહેવાય?!! આપણી સાથે થતી દરેક ઘટનાઓ કે પરીસ્થિતિઓના નિર્માતા આપણે સ્વયં જ છીએ. આજ દિવસ સુધી અને આટ આટલા જન્મોથી કરતા આવેલા કર્મોનો આજે જયારે હિસાબ થાય છે, ત્યારે નફો કે નુકશાન જે નીકળે તેને સ્વીકારી આપણું ખાતુ તો આપણે જ ચૂકતુ કરવું પડશે ને! પડોશી તો નહી જ કરે.

  જો આપણી સાથે પુણ્ય કર્મોનું ભાથુ હશે, તો કોઈની તાકાત નથી કે, આપણો વાળ પણ વાંકો કરી શકે! કૃષ્ણનો જન્મ થતાં જ જેમ દરેક પરીસ્થિતિ સાનુકૂળ થઈ ગઈ…તોફાની નદીએ પણ માર્ગ આપ્યો.. એવા તો જલારામ બાપા, સાંઈ બાબા કેટ-કેટલાય ઉદાહરણો આપણી આસપાસ છે. જેમને માટે પ્રકૃતિ પણ નતમસ્તક તેમની સેવા માટે હાજર રહી છે. કારણ કે, તેમને હંમેશા પોતાના કર્મ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું કે…મારાથી એવું કોઈ કર્મ ન થઈ જાય જેનાથી પ્રકૃતિ કે કોઈ આત્માને દુઃખ પહોંચે કે કોઈનું અકલ્યાણ થાય.

   આ કળિયુગી દુનિયામાં ‘એક સાંધતા, તેર તૂટે’ એવી પરીસ્થિતિ છે, પણ જો આપણે આપણા મન, વચન અને કર્મ પર ધ્યાન આપીશું તો, અનેક પરીસ્થિતિઓની વચ્ચે પણ..જેમ ‘માખણમાંથી વાળ નીકળે’ એમ તેને એકદમ સરળતાથી પાર કરી શકીશું…પછી ભગવાન પાસે કો ફરિયાદ નહી રહે કે…’આવું કેમ???’ પરંતુ તેને ફરીને ફરી યાદ કરવાનું મન થશે!

……પ્રથમ પહેલા પૂજા તમારી….

પ્રથમ પહેલા પૂજા તમારી,
મંગલ મૂર્તિ વાળા ગજાનંદ મંગલ મૂર્તિ વાળા …..

પ્રથમ પહેલા સમરુ ગજાનંદ
કરજો અમને સહાય નિજાનંદ
અમારા વિઘ્ન લેજો કાપી,
ગૌરી પુત્રગણેશ મુજ ને વાણી નિમૅળ આપી.

શુભ કાર્યો માં મુકાતા મેવા, વિઘ્નહતૉ છે દેવા,
એની થાય પ્રથમ સેવા. ગજાનંદ મંગલ મૂર્તિ વાળા…..

કોટી-કોટી વંદન તમને હે દેવ સૂંઢાળા , નમી એ અમો તમોને હે નાથ રૂપાળા
માતા રે જેમના પાવૅતીને પિતા મહાદેવા
રિધ્ધિ- સિધ્ધિના દાતાર એવા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા….

પ્રથમ સમરીએ નામ તમારા, ભાગે વિઘ્ન અમારા.
શુભ શુકનીએ તમને સમરીએ, દીન દયાળુ દયા વાળા.

પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા…

સંકટ હરો ને અધમ ઓધારણ, ભય ભંજન રખવાળા. અકકળ ગતિ છે મારા નાથ તમારી,

જય જય નાથ સુંઢાળા

નૈયા મારી પાર ઉતારો
હે નાથ દુંદાળા,
થાજો મારા રખવાળા
મારા મનડે તમારી માળા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા….

દુ:ખડા હરી સૌ ને સદ્ બુદ્ધિ આપજો,
ગુણ ના એક દંતવાળા.
પ્રથમ પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા…..

જગત ના પાલનહાર છો આપ , વિઘ્ન હરોને આજ અમારા.
ભક્તો સમરે ગણપતિ ગુણનેકાજ, દાદા કરો ને મારા ઊર માં અજવાળા આજ

ભાવથી જે કોઈ કરે આપની ભક્તિ,
દાદા એ ને આપજો દુઃખ – દદૅ માં થી મુક્તિ.

થાય જો ભુલચુક અમારા થી તો બાપા તમે કરજો માફ

અમે છીએ તમારા ફુલડાં કેરા રતન,
બાપા કરજો એનું કાયમ જતન.

મંગલ મૂર્તિ વાળા….
ગજાનંદ મંગલ મૂર્તિ વાળા….(૨)

રચિયિતા:-

દિનેશભાઇ.વી. પોકાર

શ્રી ઉમિયા ગ્લાસ ટ્રેડસૅ
શિવ રેસીડેન્સી,
ચીખલી,(નવસારી). ૯૮૨૪૯૬૧૦૪૯
(કચ્છમાં ગામ:- રવાપર).