દયાપરમાં કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રથમ સનાતન મંદિરની વાર્તા

………જય સનાતન……..
…..જય ઉમિયા માતાજી…..
અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નુ સૌથી પહેલું સનાતની મંદિર એટલે દયાપર નું શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર .
દયાપર શ્રી સત્યનારાયણ ની સ્થાપના ૯૮વર્ષ પહેલા તા.૨૦.૫.૧૯૨૩ ના થઈ ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની ની પાન મૂર્તિ (છબી)ની સ્થાપના કરવામાં આવી જેની છે વર્ષ પુજા અર્ચના કરવામાં આવી.
ત્યાર બાદ વડિલો એ ગામ ના મૂખ્ય ચોક માં મંદિર નું નિર્માણ કર્યું.
મંદિર નું ખાધ મૂર્ત તા.૧૩.૧૧.૧૯૨૮ સવંત ૧૯૮૫ કારતક સુદ એકમ નું કર્યુ (પડવા ના દિવસે). અને સનાતની પરિવાર ની જાત મહેનત અને લગન અને ધગસ થી સાડા છ મહિના માં ૨૦૦ કોરી ના ખર્ચે ચાર ઢાળ વાળું દેશી નળિયા વાળું સુંદર મંદિર તૈયાર થઈ ગયું.
મંદિર માટે શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિ નો ઓર્ડર કરાચી માં આપ્યો .
  તે આરસ ની અઢી ફૂટ ની મૂર્તિ દરીયાઇ માર્ગે કરાચી (અત્યાર નું પાકિસ્તાન) થી લખપત બંદરે લાવ્યા ત્યાં થી આપણા સનાતની સાહાસિક વડિલો દયાપર સુધી ખુલા પગે ભગવાન ની મૂર્તિ જમીન માં રાખ્યા વગર વારાફરતી બદલી ઝોળી (કાવડ) થી લખપત થી દયાપર ચાલી ને લાવ્યા અને મંદિર ના ખાધ મૂર્ત થી ૨૦૦ માં દિવસે તા.૩.૬.૧૯૨૯ સવંત ૧૯૮૫ વૈશાખ વદ અગિયારસ (અપરા અગિયારસ)ના પવિત્ર દિવસે  વડીલ નારાણ રૈયા લીંબાણી અને માતૃશ્રી જાન બાઈ નારાણ લીંબાણી ના સજોડે ના વરદ હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરી અને કોઠારા ના ભટ્ટ મૂળજી વાલજી અને ભૂજ ના પ્રાણજીવન  શાસ્ત્રી એ શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા ની શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરી.
  આપણી સમાજ માં પહેલા સત્યનારાયણ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા માં આ મૂજબ સનાતની વડીલો દયાપર હાજર રહેલા.
  . નારાણ રામજી લીંબાણી . મોટી વિરાણી.
  . રામજી રાજા નાકરાણી મોટી વિરાણી.
  .નારાણ શીવજી નાકરાણી મોટી વિરાણી.
  .લધા વિશ્રામ.મોટી વિરાણી.
  . રતનસી ખીમજી દિવાણી મોટી વિરાણી.
  .લખુ ડોસા પોકાર નખત્રાણા.
  .પેથા ડોસા પોકાર નખત્રાણા.
  . મૂળજી ડોસા પોકાર નખત્રાણા.
  .દાના કરસન પાંચાણી નખત્રાણા.
  . હરજી રામાણી લુડવા
  (આ હતી દયાપર ના શ્રી સત્યનારાયણ મંદિર અને સૌથી પહેલા શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિ ની ટુંકી માહિતી)
  આજે પણ વૈશાખ વદ અગિયારસ નો પવિત્ર દિવસ છે.